સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023
દેશની સરકાર બાળકો અને મહિલાઓના વિકાસ માટે અવિરત પણે કામ કરી રહી છે. તેમાં અનેક યોજનાનો સમાવેશ થાય છે, જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને વ્હાલી દીકરી યોજના. આ યોજનામાં વધારો કરતાં એક નવી યોજના એટલે કે, સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના શરૂ કરી છે. આ સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના કે, જેનું ટૂંકું નામ સુમન યોજના પણ છે. આ આજના આ આર્ટીકલમાં આપણે સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના વિષે વિગતવાર ચર્ચા કરીશું.
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના હેઠળ, જે મહિલાઓ તેમના પરિવારની સગર્ભા સ્ત્રીઓનું કુટુંબ નબળું હોવાને કારણે તેમની યોગ્ય કાળજી લઈ શકતી નથી. કે જેમના પરિવારના સભ્યો હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી, તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. આ યોજના હેઠળ, મહિલા ગર્ભવતી થયાના 6 મહિનાથી લઈને બાળકના જન્મ પછી 6 મહિના સુધી મફત સારવાર, દવાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ યોજના જાહેર આરોગ્ય સુવિધાઓમાં શૂન્ય ખર્ચની ડિલિવરી તેમજ સી-સેક્શન સુવિધાનો લાભ આપે છે.
આ યોજનામાં લાભાર્થીઓને પ્રસૂતિ પહેલાની તપાસ અમે 1 લી ત્રિમાસિક દરમિયાન એક તપાસ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ એક ચેક-અપ પણ મળશે.
આ યોજનામાં આવરી લેવામાં આવતા ઘટકો
- ટિટાનસ-ડિપ્થેરિયા ઈન્જેક્શન
- આયર્ન-ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન
- છ ઘર-આધારિત નવજાત શિશુઓની સંભાળની મુલાકાતો
- ANC પેકેજના ઘટકો
- આ યોજનામાં સગર્ભા મહિલાઓને ઘરેથી આરોગ્ય સુવિધા સુધી મફત પરિવહન તો મળશે અને
- તેની સાથે ડિસ્ચાર્જ થયા બાદ તેમને પાછા પણ મુકવામાં આવશે.
- સલામત માતૃત્વ માટે કાઉન્સેલિંગ તેમજ IEC/BCC સુવિધાઓ
- આ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને તેમની તબીબી સુવિધાઓમાં મુશ્કેલી વિના પ્રવેશ પણ મળશે.
દરેક સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓ આ સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના હેઠળના લાભો મેળવવા માટે પાત્ર છે. પરંતુ કેટલીક સામાન્ય આવશ્યકતાઓ છે.
- આ યોજના માં APL અને BPL સહિત તમામ કેટેગરીની સગર્ભા સ્ત્રીઓ લાભ મેળવવા માટે પાત્ર છે.
- યોજનામાં 0 થી 6 મહિનાના નવજાત શિશુઓ પણ લાભ મેળવી શકશે.
- આ યોજનામાં ડિલિવરી પછી, ડિલિવરીથી 6 મહિના સુધીની સ્તનપાન કરાવતી માતાઓ પણ પાત્ર છે.
આ યોજનાની અરજી તમારે ઓફલાઈન માધ્યમથી કરવી પડશે.
- આ યોજનાની નોંધણી માટે તમારે સૌપ્રથમ તમારા વિસ્તારની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડશે.
ત્યાં તમારે યોગ્યતાના માપદંડોને પરિપૂર્ણ કરવા ઉલ્લેખિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
જિલ્લાઓની તમામ સિવિલ હોસ્પિટલો આરોગ્ય મંત્રાલયના નિયમોનું ફરજીયાત પણે પાલન કરે છે.
જો કોઈ સમસ્યા હોય તો વ્યક્તિઓ SUMAN વેબસાઇટ પર લૉગ ઇન કરી શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકે છે.
આ માટે વ્યક્તિઓએ ચકાસણી સાબિત કરવા માટે અમુક દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે.
- ઓળખનો પુરાવો
- આધાર કાર્ડ
- મતદાર ઓળખ કાર્ડ
- સંબંધિત હોસ્પિટલમાંથી મહિલાની ગર્ભાવસ્થાની વિગતો
- સરનામાનો પુરાવો
- યુટિલિટી બિલ
➥ 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Comments
Post a Comment