Vidhva Sahay Yojana - વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા

 ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના - 

Vidhva Sahay Yojana Gujarat 


Women And Child Development Department, Gujarat  દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે યોજનાઓ ચાલે છે. વિધવા સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોય છે.

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.


વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.   

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે


  • વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.

    1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો

    2. આધારકાર્ડ

    3. રેશનકાર્ડની નકલ

    4. આવક અંગેનો દાખલો

    5. વિધવા હોવા અંગેનો દાખલો

    6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

    7. અરજદારની ઉંમર અંગેના પુરાવા

    8. બેંક ખાતાની નકલ

   નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.

● વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર     સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

● વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા અરજીનું Status જાણી શકે છે. લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું Online Status પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર, નામ અને સેક્શન નંબર દ્વારા જાણી છે.

  1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  2. NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  3. Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  4. ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  5. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
  6. Sanction Order No/Application No
  7. Application Name
  8. Mobile No.


  9. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે. જેમાં Indira Gandhi National Widow Pension Scheme(IGNWPS) માં BPL કાર્ડ ધરાવતા લાભાર્થીઓ અરજી કરી શકે છે. અને Destitute Widow Pension Scheme(DWPS) માં કોઈપણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે. જે અરજી ફોર્મ નીચે મુજબ છે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.
🔥 
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️




એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15
━━━━━━━━━━━━━━━━━━━━

Comments

Popular posts from this blog

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...